સ્મૃતિ ઈરાની

સ્મૃતિ ઈરાની

સ્મૃતિ ઈરાની હાલમાં કેન્દ્ર સરકારમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી છે. તેઓ 2019 થી આ પદ પર છે અને ઉત્તર પ્રદેશના અમેઠીથી લોકસભાના સાંસદ છે. તેમની રાજકીય કારકિર્દી 2003 માં શરૂ થઈ જ્યારે તેઓ ભારતીય જનતા પાર્ટીની સભ્ય બન્યા અને દિલ્હીના ચાંદની ચોક લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડ્યા, પરંતુ કોંગ્રેસના ઉમેદવાર અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલ સામે હાર્યા.

સ્મૃતિ ઈરાની 2010 થી 2013 સુધી ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યાં હતા. 2014 થી માનવ સંસાધન વિકાસ મંત્રી, કાપડ મંત્રી અને માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે હોદ્દો સંભાળ્યા છે. તે 2011 થી 2019 સુધી ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ હતા. 2019 માં, તેમણે અમેઠીથી ચૂંટણી લડી અને ત્યાંથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને હરાવ્યા.

રાજકારણમાં પ્રવેશતા પહેલા સ્મૃતિ ઈરાનીએ એક જાણીતી ટીવી અભિનેત્રી તરીકે પોતાની ઓળખ બનાવી હતી. તેણે વર્ષ 1998માં મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ભાગ પણ લીધો હતો. આ સાથે તેમણે 4 અલગ-અલગ ભાષાઓમાં થિયેટર પણ કર્યું છે. સ્મૃતિ ઈરાનીએ લાલ સલામ નામનું પુસ્તક પણ લખ્યું છે.

 

Read More

20 મેના રોજ 5માં તબક્કામાં 49 બેઠકો પર મતદાન, રાહુલ, સ્મૃતિ, રાજનાથ સહિતની આ હસ્તીઓ ચૂંટણીના રણમેદાને

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં 20 મેના રોજ ઉત્તર પ્રદેશની 14, મહારાષ્ટ્રની 13, પશ્ચિમ બંગાળની સાત, બિહારની પાંચ, ઓડિશાની પાંચ, ઝારખંડની ત્રણ અને જમ્મુની તથા લદાખની એક-એક બેઠક પર મતદાન થશે.

3 બાળકોની માતા છે સ્મૃતિ ઈરાની, એક દિકરી છે સાસરે, આવો છે પરિવાર

આજે કેન્દ્રીય મંત્રી અને ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ યુપીની અમેઠી લોકસભામાંથી સતત ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે. તો આજે આપણે ટીવી સિરીયલ થી લઈ ફિલ્મો અને રાજકારણમાં મોટું નામ કમાનાર સ્મૃતિ ઈરાનીના પરિવાર વિશે વાત કરીશું.

જયરામ રમેશએ મહિલા કલ્યાણના પ્રયાસો પર આરોપ લગાવતા સ્મૃતિ ઈરાની ભડક્યા, કહ્યું તદ્દન પાયાવિહોણા..

સ્મૃતિ ઈરાનીએ જયરામ રમેશ પર આકરા પ્રહાર કર્યા હતા. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સત્ય પાયાવિહોણા આરોપોને નકારી કાઢે છે, પરંતુ ઉત્તરાધિકારીને એ જાણીને નિરાશા થશે કે 2014-15 થી મહિલાઓ અને છોકરીઓ માટેના ભંડોળમાં ત્રણ ગણો વધારો થયો છે.

Smriti Irani Birthday: ટીવીની આદર્શ પુત્રવધૂથી કેબિનેટ મંત્રી સુધીની સફર, જન્મદિવસ પર વાંચો સ્મૃતિ ઈરાનીની કેટલીક જાણી અજાણી વાતો

Smriti Irani Birthday Special: સ્મૃતિ ઈરાનીનો આજે જન્મદિવસ છે ,તેમનો જન્મ 23 માર્ચ 1976ના રોજ દિલ્હીમાં થયો હતો.સ્મૃતિની કરીયર અદ્ભુત છે અને તેણે દરેક પ્લેટફોર્મ પર પોતાની જાતને પરફેક્ટ સાબિત કરી છે. રાજકારણમાં આવતા પહેલા સ્મૃતિ ઈરાનીએ મોડલિંગ અને ટેલિવિઝનની દુનિયામાં પણ કામ કર્યું છે.

માત્ર 7 દિવસમાં જ સ્મૃતિ ઈરાનીએ વિદ્યાર્થીઓને આપી આ ખાસ ભેટ, જુઓ Video

દિલ્હી યુનિવર્સિટીમાં આયોજિત વિકાસ ભારત એમ્બેસેડરના 'નારી શક્તિ કોન્ક્લેવ'માં ભારે ભીડ એકઠી થઈ હતી. કોન્ક્લેવનું મુખ્ય આકર્ષણ મુખ્ય મહેમાન કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાની હતા. સ્મૃતિ ઈરાની પાસે વિદ્યાર્થીઓએ મદદ માંગી હતી.

લોકસભા ચૂંટણી 2024: ભાજપે ઉત્તરપ્રદેશની 80 પૈકી 51 બેઠકો પર ઉમેદવારો કર્યા જાહેર, વિવાદમાં રહેલા અજય મિશ્રા ટેનીને ખીરીથી કરાશે રિપીટ

લોકસભા ચૂંટણી માટે ભાજપે આજે તેના 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમા ઉત્તર પ્રદેશની વાત કરીએ તો 80 પૈકી 51 બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમા બનારસ બેઠક પરથી સતત ત્રીજીવાર પીએમ મોદી ચૂંટણી લડશે. જ્યારે અમેઠીથી બીજીવાર સ્મૃતિ ઈરાનીને રિપીટ કરાયા છે, જ્યારે મથુરાથી હેમા માલિનીને રિપીટ કરવામાં આવ્યા છે.

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદીની 10 મહત્વની વાત, જાણો શું છે ખાસ?

લોકસભા 2024 ની ચૂંટણીને લઈ 16 રાજ્યો અને બે યુનિયન ટેરેટરી માટે 195 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી વારાણસીથી ચૂંટણી લડશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહને લખનૌથી જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને ગાંધીનગરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. અહીં મહત્વના મુદ્દાઓ છે જે લોકસભા ચૂંટણી માટે મહત્વના સાબિત થશે.

ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
"UAEમાં મંદિર નિર્માણમાં પીએમ મોદીનો સહકાર મહત્વપૂર્ણ સાબિત થયો"
g clip-path="url(#clip0_868_265)">