TV9 ગુજરાતી Digitalમાં ગુજરાત રાજ્યના સમાચાર સહિત જુદા-જુદા વિષયો અને કેટેગરી પર આર્ટીકલ લખે છે.
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા અંબાજી ગબ્બર પર્વત ખાતે શરૂ કરવામાં આવેલ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન, કોરોના કાળમાં આપેલ સેવાઓ અને યાત્રાધામ અંબાજીના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપવા બદલ સન્માનિત કરાયા છે.
બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના 9 તાલુકાઓ સહિત કંડલા અને ભૂજ તરફ જતા તમામ વાહનો આ બ્રિજ (Bridge) પરથી પસાર થાય છે. થોડા દિવસ અગાઉ બનાસ નદી પર બનેલો એક બ્રિજ ક્ષતિગ્રસ્ત થતા એક બ્રિજ બંધ કરાયો છે.
વન્યજીવ આકરા ઉનાળામાં પીવાના પાણી (Water source)તેમજ ખોરાક માટે તકલીફ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા બનાસકાંઠા વન વિભાગ દ્વારા વનયજીવ માટે કરવામાં આવી છે.
બનાસ ડેરીમાં યોજાયેલા જળ સંચય બેઠકમાં આજે મોટી સંખ્યામાં સરપંચ ઉપસ્થિત રહ્યા હતા. સહકારની ભાવના સાથે સરપંચ તેમજ સહકારી આગેવાનો સાથે મળી ગામના વહી જતા પાણીને અટકાવી જળ સંચય થાય તે માટેની કામગીરી કરશે.
બનાસકાંઠા (BanasKantha)જિલ્લામાં અત્યારે ઉનાળો આકરો બનતા જ પાણીની સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ઊંડા જતા ભૂગર્ભજળનું પરિણામ હવે ખેડૂતો દેખી રહ્યા છે.
ડીસા (Deesa)રબારી સમાજના પ્રથમ સમૂહ લગ્નમાં સામાજીક આગેવાનો અને શ્રેષ્ઠી માવજીભાઈ દેસાઈએ પોતાની એકની એક દિકરીને સમૂહ લગ્નમાં જોડીને એક અનોખી પહેલ કરી છે.
બનાસ ડેરીના (Banas Dairy) નવા દુધવાણી રેડિયો સ્ટેશનને ભારત સરકારના પ્રસારણ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ રેડીયો સ્ટેશન બનાસકાંઠાના (Banaskantha) સરહદી વિસ્તારનું પ્રથમ રેડિયો સ્ટેશન હશે. જેના દ્વારા બનાસકાંઠા જિલ્લામાં લોકશિક્ષણનું કામ કરવામાં આવશે.
ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ આજે ખેડૂતોએ રેલી યોજી. અગાઉ પણ પાલનપુર (Palanpur) તાલુકાના ખેડૂતો તળાવ ભરવાની માગ સાથે આંદોલન કરી ચૂક્યા છે. આજે ફરી એકવાર ખેડૂતો (Farmers) શાંતિપૂર્વક રસ્તા પર ઉતર્યા છે.
ડાલવાણા ગામના પ્રસિદ્ધ વારંદા વીર મહારાજના મંદિરે પવિત્ર રમઝાન (Ramadan)માસમાં રોઝા ખોલાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મુસ્લિમ બિરાદરોએ વીર મહારાજના મંદિરે રોઝા ખોલ્યા હતા. તો મુસ્લિમ બિરાદરોએ મંદિર પરિસરમાં જ નમાજ (Namaz)અદા કરી હતી.
ભારત-પાકિસ્તાન બોર્ડરનો (India Pakistan Border) નજારો જોવાનો રોમાંચક અનુભવ પણ કરી શકે તે માટે બીએસએફ દ્વારા બીટિંગ રિટ્રીટ સમારોહનો પણ આરંભ કરાયો છે. જવાનોના શૌર્યથી ભરપૂર દ્રશ્યોને જોઇને પ્રવાસીઓના દિલમાં જવાનો પ્રત્યે અનોખા ગર્વ અને શ્રદ્ધાની લાગણી પેદા થશે.
બનાસકાંઠાના દિયોદરના વખા ગામે વીજ પ્રશ્ને ધરણા પર બેસેલા ખેડૂતોની ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મુલાકાત લીધી હતી. ખેડૂતો પ્રશ્ને ઝાંસીની રાણી માફક લડવાની પણ ગેનીબેને તૈયારી બતાવી હતી.
અંબાજી દર્શને આવતા કરોડો માઈભક્તોને એક જ જન્મમાં 51 શક્તિપીઠના દર્શનનો લ્હાવો મળશે. સવારે-6.00 થી સાંજે-7.00 વાગ્યા સુધી યોજાનાર શ્રી પરિક્રમાની વ્યવસ્થા જાળવવા માટે ભાદરવી પૂનમના મેળાની જેમ અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી છે.