Manish Mistri

Manish Mistri

Author - TV9 Gujarati

manish.mistri@tv9.com

વર્ષ 2004 થી એટલે કે 19 વર્ષ થી પત્રકારત્વ ક્ષેત્રમાં સતત કાર્યરત. રીપોર્ટિંગ ઉપરાંત એન્કરિંગ, ન્યુઝ એડિટિંગનો પણ અનુભવ તેઓ ધરાવે છે. માત્ર મહેસાણા જ નહીં પણ આજુબાજુના જિલ્લાઓ ઉપરાંત રાજ્યની મહત્વની ઘટનાઓ વખતે બીજા શહેરોમાં જઈને ફિલ્ડ રીપોર્ટીંગ કર્યું છે.

Read More
Mehsana: વેકરા ગામમાંથી હાઈ પ્રોફાઇલ જુગારધામ ઝડપાયુ, બે વિદેશી મહિલા સહિત 25 જુગારી સકંજામાં, જુઓ Video

Mehsana: વેકરા ગામમાંથી હાઈ પ્રોફાઇલ જુગારધામ ઝડપાયુ, બે વિદેશી મહિલા સહિત 25 જુગારી સકંજામાં, જુઓ Video

મહેસાણા જિલ્લાના કડીમાં બાવલું પોલીસ સ્ટેશનની હદમાં હાઈ પ્રોફાઇલ જુગારનો અડ્ડો ઝડપાયો છે. બાવલું પોલીસે બાતમીના આધારે વેકરા ગામના ખેતરમાં રેડ પાડી હતી. આ કાર્યવાહી દરમિયાન બે વિદેશી મહિલા સહિત 25 જુગારી ઝડપાયા છે.

રિક્ષા ચાલકથી રાજ્યસભા ટિકિટ સુધીની સફર…જાણો ગુજરાત ભાજપના રાજ્યસભાના ઉમેદવાર મયંક નાયક વિશે

રિક્ષા ચાલકથી રાજ્યસભા ટિકિટ સુધીની સફર…જાણો ગુજરાત ભાજપના રાજ્યસભાના ઉમેદવાર મયંક નાયક વિશે

લાખાવડમાં જન્મેલા મયંક નાયકે રિક્ષા ચાલક તરીકે પોતાના સફરની શરૂઆત કરી હતી. તેઓ હાલ ગુજરાત ભાજપ ઓબીસી મોરચાના પ્રેસિડેન્ટ, ગાંધીનગર લોકસભાના પ્રભારી અને મન કી બાત ગુજરાત પ્રદેશની ટીમના ઇન્ચાર્જ પણ છે. તેમજ ભૂતકાળમાં ગુજરાત પ્રદેશ ઓબીસી મોરચાના જનરલ સેક્રેટરી રહી ચૂક્યા છે.

દિવ્યાંગ સમાનતા, સંરક્ષણ અને સશક્તિકરણ અભિયાન અંતર્ગત મહેસાણામાં કાર્યક્રમ યોજાયો

દિવ્યાંગ સમાનતા, સંરક્ષણ અને સશક્તિકરણ અભિયાન અંતર્ગત મહેસાણામાં કાર્યક્રમ યોજાયો

વર્ષ 2023-24 દરમિયાન બ્રહ્માકુમારીઝના રાજયોગ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશના દિવ્યાંગ સેવા પ્રભાગ દ્વારા પૂરા ભારતમાં રાજ્ય સ્તરીય ‘દિવ્યાંગ સમાનતા સંરક્ષણ અને સશક્તિકરણ અભિયાન’ નું આયોજન કરાયુ હતુ. જે અંતર્ગત ગુજરાત સ્તરનું આ અભિયાન મહેસાણા આવી પહોંચતા મહેસાણાના પાંજરા પોળ, આઝાદ ચોક સ્થિત ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત માનસિક નબળા બાળકોની દિશા સ્કુલમાં પણ કાર્યક્રમ યોજાયો.

મહેસાણા સ્વામિનારાયણ મંદિર દ્વારા અયોધ્યાથી પ્રસાદી રૂપે આવેલા અક્ષતકુંભનું કરાયુ ભવ્ય સ્વાગત- જુઓ તસ્વીરો

મહેસાણા સ્વામિનારાયણ મંદિર દ્વારા અયોધ્યાથી પ્રસાદી રૂપે આવેલા અક્ષતકુંભનું કરાયુ ભવ્ય સ્વાગત- જુઓ તસ્વીરો

અયોધ્યાથી ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પ્રસાદી સ્વરૂપે આવેલા અક્ષત કુંભનું મહેસાણા બીએપીએસ સ્વામીનારાયણ મંદિર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ. આ અક્ષત કુંભનું પૂજન-અર્ચન કરી તેના વધામણા કરવામાં આવ્યા હતા.

મહેસાણા: વડનગરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ, 16 દેશના 42 પતંગબાજો અને 6 રાજ્યોના 28 પતંગ બાજો લઈ રહ્યા છે ભાગ- જુઓ તસ્વીરો

મહેસાણા: વડનગરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ, 16 દેશના 42 પતંગબાજો અને 6 રાજ્યોના 28 પતંગ બાજો લઈ રહ્યા છે ભાગ- જુઓ તસ્વીરો

મહેસાણા: વડનગરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો રંગેચંગે પ્રારંભ થયો છે. જેમા 16 દેશના 42 પતંગ બાજો જ્યારે 6 રાજ્યોના 28 પતંગબાજોએ આ મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. પીએમ મોદીના માદરે વતન ખાતે ઉજવાતા પતંગ મહોત્સવનો આનંદ ઉપસ્થિત સહુ પતંગ રસીયાઓ લઈ રહ્યા છે. પતંગબાજો માટે આ પતંગોત્સવ માણવાનો આ એક લ્હાવો બની રહેશે.

બ્રેકિંગ ન્યૂઝ : પ્રવાસ માટે રાજસ્થાન ગયેલા મહેસાણાના વિદ્યાર્થીઓની બસનો ગમખ્વાર અકસ્માત, બેના મોત, 21 ઇજાગ્રસ્ત

બ્રેકિંગ ન્યૂઝ : પ્રવાસ માટે રાજસ્થાન ગયેલા મહેસાણાના વિદ્યાર્થીઓની બસનો ગમખ્વાર અકસ્માત, બેના મોત, 21 ઇજાગ્રસ્ત

મહેસાણાના ખેરાલુની શ્રી સી એન વિધ્યાલય ચોટીયા પ્રાથમિક શાળાના બાળકો પ્રવાસે ગયા હતા. પ્રવાસ ગયેલી વિસનગરની બે લકઝરી બસ પૈકી એક બસને અકસ્માત નડ્યો છે. સ્કૂલના શિક્ષકો પણ આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયાના સમાચાર સામે આવ્યા છે.

ફિલ્મી સ્ટાઈલમાં થયેલ 45 લાખની જોટાણા લૂંટનો ભેદ ઉકેલાયો, UP ની જેલમાં ઘડાયો હતો પ્લાન

ફિલ્મી સ્ટાઈલમાં થયેલ 45 લાખની જોટાણા લૂંટનો ભેદ ઉકેલાયો, UP ની જેલમાં ઘડાયો હતો પ્લાન

લૂંટ માટે આરોપીઓએ પાલનપુર માં ભાડે મકાન રાખી રહેતા હતા. પકડાયેલ જમશેદઅલી 12 વર્ષથી ચામડા ના વેપાર સાથે સંકળાયેલો હતો. નંદાસણ અને જોટાણામાં ચામડા ના વેપાર માટે પણ આવતો હતો. ફરિયાદીના પરિવાર પણ ચામડા ના વેપાર સાથે સંકળાયેલ હોઈ ફરિયાદી પરિવારની તમામ દિનચર્યા અને પરિવારના સભ્યો ને જાણતો હતો આરોપી જમશેદઅલી. જેના થકી તેણે લૂંટનો ઘડ્યો હતો પ્લાન.

મહેસાણામાં વધુ એક નક્લી જીરુ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, 88 લાખથી વધુનો જથ્થો કરાયો જપ્ત- જુઓ તસ્વીરો

મહેસાણામાં વધુ એક નક્લી જીરુ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, 88 લાખથી વધુનો જથ્થો કરાયો જપ્ત- જુઓ તસ્વીરો

એશિયાના સૌથી મોટા માર્કેટ યાર્ડ વિસ્તારમાં નક્લી જીરુનો વેપલો જાણે થોભતો જ નથી. સ્પાઈસ સિટી તરીકે ઓળખાતા ઊંઝાનું જીરુ દેશભરમાં પ્રખ્યાત છે. જો કે કેટલાક તત્વો આ જીરુની સુવાસને નુકસાન પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. છાશવારે મહેસાણામાંથી નક્લી જીરુ બનાવતી ફેક્ટરીઓ ઝડપાઈ રહી છે. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડી વધુ એક નક્લી જીરુ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે અને 88 લાખથી વધુનો જીરુનો જથ્થો જપ્ત કર્યો છે.

OTP શેર કર્યા વિના બેંક બેલેન્સ ગાયબ થઈ શકે? હેકરે મહેસાણાના વેપારીના રુપિયા ઉપાડી લીધા

OTP શેર કર્યા વિના બેંક બેલેન્સ ગાયબ થઈ શકે? હેકરે મહેસાણાના વેપારીના રુપિયા ઉપાડી લીધા

સાવધાન! કોઈ પણ વ્યક્તિ ને તમારો OTP શેર કરશો નહિ. આવી સૂચના તમે વારંવાર જોઈ કે સાંભળી હશે. હવે OTP શેર ના કરો તો ઠગાઈ થી તમે બચી જશો. જો તમે એવું માનતા હોય તો ચેતી જજો. કારણ કે, મહેસાણામાં એક વ્યક્તિ એ OTP આપ્યો નથી છતાં રૂપિયા 5.75 લાખ તેના ખાતામાંથી હેકર એ સેરવી લીધા. અને ઉપરથી ફોન કરીને જણાવ્યું કે તમારા ખાતામાંથી પૈસા ઉપાડી લીધા છે. કોની સાથે અને કેવી રીતે થઈ ઠગાઈ, જુઓ.

મહેસાણામાં કુટુંબ નિયોજન ઓપરેશનના આંકડાનું કૌભાંડ આવ્યુ સામે, સરકાર સમક્ષ રજૂ કરાયો ખોટા આંકડાનો રિપોર્ટ- વીડિયો

મહેસાણામાં કુટુંબ નિયોજન ઓપરેશનના આંકડાનું કૌભાંડ આવ્યુ સામે, સરકાર સમક્ષ રજૂ કરાયો ખોટા આંકડાનો રિપોર્ટ- વીડિયો

મહેસાણામાં કુટુંબ નિયોજનના ઓપરેશનના આંકડા માત્ર કાગળ પર હોવાનુ સામે આવ્યુ છે. ઓપરેશનના આંકડામાં કૌભાંડ થયુ હોવાનું ધ્યાને આવતા 9 ડિસેમ્બર સુધીમાં તમામ આંકડા સાથે આરોગ્ય અધિકારીઓને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. 2 અર્બન હેલ્થ સેન્ટર અને 6 પેટા આરોગ્ય કેન્દ્રના ચોંકાવનારા આંકડા સામે આવ્યા હતા.

મહેસાણામાં અટલ ભૂજલ યોજનામાં કોન્ટ્રાકટરોએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું, તળાવ અને જમીનથી અઢી ફુટની ઉંચાઈએ બનાવ્યા રિચાર્જ વેલ

મહેસાણામાં અટલ ભૂજલ યોજનામાં કોન્ટ્રાકટરોએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું, તળાવ અને જમીનથી અઢી ફુટની ઉંચાઈએ બનાવ્યા રિચાર્જ વેલ

કેન્દ્ર સરકાર દ્વારા અટલ ભૂજળ યોજના હેઠળ ચોમાસાનું પાણી ભૂગર્ભમાં ઉતારવા તૈયાર કરાઈ છે. આ યોજના હેઠળ મહેસાણા જિલ્લામાં 125 ગામોમાં કરોડોના ખર્ચે રિચાર્જ વેલ બનાવાયા છે. પણ અમુક રિચાર્જ વેલ તળાવ અને જમીન સ્તરથી અઢી ફૂટ ઊંચા બનાવાયા છે. હવે સવાલ એ છે કે તળાવ લેવલ અને એનાથી ઉપર જમીન લેવલથી પણ અઢી ફૂટ ઊંચું રિચાર્જ વેલનું લેવલ શું કોઈ ને નજરમાં નહિ આવ્યું હોય ? કે આટલા ઉંચા લેવલે વરસાદનું અઢી ફૂટ ઊંચું પાણી શું પુર આવે એટલે ઉતારવાનું છે?

મહેસાણા: વિસનગરમાં 109 કરોડના 85 જેટલા વિકાસકામોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યુ ભૂમિપૂજન, ખાતમુહૂર્ત અને લોકાર્પણ

મહેસાણા: વિસનગરમાં 109 કરોડના 85 જેટલા વિકાસકામોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યુ ભૂમિપૂજન, ખાતમુહૂર્ત અને લોકાર્પણ

મહેસાણા: વિસનગરમાં એપીએમસી ગ્રાઉન્ડથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂપિયા 109 કરોડના 85 જેટલા વિવિધ વિકાસકામોનું ભૂમિપૂજન, ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યુ હતુ. જેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત આશરે 20 જેટલા વિકાસના કાર્યોનું લોકાર્પણ અને 43 જેટલા વિકાસના નવા પ્રકલ્પોનું ખાતમુર્હૂત કરાયું હતું.

g clip-path="url(#clip0_868_265)">