TV9 ગુજરાતી Digitalમાં ગુજરાત રાજ્યના સમાચાર સહિત જુદા-જુદા વિષયો અને કેટેગરી પર આર્ટીકલ લખે છે.
વડાપ્રધાન (PM Modi) વાપીમાં જે રોડ શો કરશે તેની અસર આસપાસના પારડી તેમજ ઉમરગામ વિસ્તારની બેઠક ઉપર પણ પડશે સાથે જ વડાપ્રધાન વલસાડના જૂજવા ખાતે પણ સભાને સંબોધન કરવાના છે ત્યારે વલસાડની સભાની અસર વલસાડ તાલુકા અને ધમરપુર સહિતના વિસ્તાર ઉપર પણ પડશે.
આ વરસાદના (Rain) કારણે મધુબન ડેમ (Madhuban Dam) પણ છલકાયો છે. ડેમમાં પાણીની આવકમાં પણ વધારો નોંધાયો છે. વહેલી સવારથી કપરાડા અને કપરાડાના ઉપર વાસ જંગલ એરિયામાં વરસાદની મજબૂત બેટિંગના કારણે મધુબન ડેમમાં પાણીની આવક વધી છે.
વાપીની રિક્ટર થેમિસ મેડિકેર કંપનીના કામદારોએ જ ચોરીનો પ્લાન ઘડયો હતો..મહેસાણાના ફાર્મા ઉદ્યોગ સાથે સંકળાયેલ બે વ્યક્તિઓએ કેમિકલ ખરીદ્યુ હતું..ચોરી કરેલા પેલેડિયમ કેમિકલની વાત કરીએ તો.આ કેમિકલ ખૂબ કિંમતી છે.
વાપીના (Vapi) મોરારજી સર્કલ પર આકાશ ગુપ્તા નામના ઉદ્યોગપતિ (Businessman) પોતાના પરિવાર સાથે રહે છે. હાલમાં તેઓ પોતાની કિડની વેચવા મજબૂર થયા છે.
કેરીને ચોરીથી બચાવવા અને યોગ્ય માવજત થાય એ માટે એક વાડી માલિકએ પોતાની વાડીમાં ત્રીજી આંખ (CCTV) લગાવી છે કે જેથી તેની વાડીમાં ઝાડ ઉપર લટકતી કેરી સુરક્ષિત રહે.
બાહોશ યુવકે તાત્કાલિક નદીમાં કૂદી જતા સમયસર યુવતીને બચાવી શકાઈ હતી. જોકે ચોંકાવનારી વાત એ છે લગભગ દોઢ કલાકથી વધુ સમય સુધી ચાલેલા આ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન સરકારી વિભાગના એક પણ અધિકારી કે કર્મચારી સ્થળ ઉપર પહોંચ્યા ન હતા.
આગ લાગવાનું ચોક્કસ શું કારણ છે તે હજુ સુધી જાણી શકાયું નથી. કેમિકલ નું ઉત્પાદન કરતી આ કંપનીમાં સેંકડો કામદારો કામ કરે છે. ત્યારે અંદર કોઇ ફસાયું છે કે કેમ એ પણ ચોક્કસ ખબર નથી. હાલ તો અંદર કોઇ ફસાયું નહીં હોવાના કંપનીના સંચાલકો દાવો કરી રહ્યા છે. ત્યારે આજ સંપૂર્ણપણે કાબુમાં આવ્યા બાદ જ આ મામલે પુષ્ટિ થશે.
યુવતીની લાશ મળી આવ્યા બાદ યુવકે પોતે અજાણ હોવાનો ઢોંગ કર્યો હતો. દરમિયાન ત્યાં આવી પહોંચેલા કોન્ટ્રાક્ટરે પણ આ હત્યાને આત્મહત્યામાં ખપાવવાની કોશિશ કરી પોલીસને ગેરમાર્ગે દોરી હતી.
સરકારી પ્રોજેક્ટના નિર્માણમાં સૌથી મોટી અડચણ જમીન અધિગ્રહણમાં આવતી હોય છે. જો કે બુલેટ ટ્રેન માટે વલસાડ જિલ્લાના ખેડૂતોએ પોતાની જમીન ખુશીથી આપી છે. જેની સામે સરકારે કાયદેસરનું વળતર પણ ચૂકવી દીધું છે.
ચોખ્ખાઈ માટે રાખવામાં આવેલી આ ડ્રાઈવ દમણના 15 વર્ષના 45 જેટલા જુદા જુદા વિસ્તારોમાં યોજાઇ હતી. જેમાં દમણ મ્યુનિસિપલ કાઉન્સિલના તમામ અધિકારીઓથી લઈને ફિલ્મ સ્ટાર તેમજ દમણના ડીએમસીના સભ્યો ચીફ ઓફિસર અને ડીએમસી પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા.
વિરોધ કરનારા ગ્રામજનોનું કહેવુ છે કે દાદરાનગર હવેલીમાં વીજળીની પણ સમસ્યા છે. સાંજના સમયે વીજળી ઓછી મળે છે. તો બીજી બાજુ ગુજરાતના ગામમાં આ સમસ્યા નથી. આથી તેમને કોઈ પણ કાળે દાદરાનગર હવેલીનો હિસ્સો બનવું નથી.
ઉમરસાડી ગામના દરિયાકિનારે રાજ્યના નાણા ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઇ દેસાઇ, રાજ્યના આદિજાતિ,અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નરેશભાઈ પટેલ અને રાજ્યના નર્મદા કલ્પસર અને મત્સ્યોદ્યોગ વિભાગના મંત્રી જીતુભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.